એક પછી એક બે લો પ્રેશર સિસ્ટમ સક્રિય, અંબાલાલે કરી આ ખાસ આગાહી, આ તારીખ રાજ્યમાં શરૂ થશે એકધારો વરસાદ
જુલાઈ મહિનાના અંતિમ અઠવાડિયામાં હવામાન વિભાગ દ્વારા વરસાદની અગત્યની આગાહી કરવામાં આવી છે. 23 જુલાઈના રોજ બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે. જેને કારણે વરસાદી પવનો પ્રબળ બનશે અને ગુજરાતના અનેક વિસ્તારોમાં સાર્વત્રિક ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે. હવામાન શાસ્ત્રીઓ દ્વારા પણ 25 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલ બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ બની રહી છે. જે 23 જુલાઈ આસપાસ સક્રિય બનશે. લો પ્રેશર સિસ્ટમ સક્રિય બનતા ગુજરાત સહિત દેશના અનેક વિસ્તારોમાં 23 જુલાઈથી લઈને ત્રણ દિવસ સુધી ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગ દ્વારા 23 જુલાઈથી લઈને સતત ત્રણ દિવસ સુધી એટલે કે 23 જુલાઈથી 25 જુલાઈ સુધી ગુજરાતમાં સાર્વત્રિક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન દક્ષિણ ગુજરાતના નવસારી, સુરત, વલસાડ અને ડાંગમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે આણંદ, પંચમહાલ, ખેડા, મહેસાણા, અમરેલી ભાવનગર, કચ્છ, રાજકોટ, વડોદરા અને ભરૂચમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ સિવાય રાજ્યના અન્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે સામાન્યથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. રાજ્યમાં વરસાદની આગાહીના પગલે એનડીઆરએફની ટીમોને રાજ્યના અલગ અલગ ઝોનની અંદર તૈનાત કરી દેવામાં આવી છે. વરસાદની આગાહીના પગલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના માછીમારોને આગામી પાંચ દિવસ સુધી દરિયો ન ખેડવાની સૂચના આપી દેવામાં આવી છે.
રાજ્યમાં છેલ્લા સાત દિવસથી બનેલા વરસાદી માહોલને પગલે જળાશયોમાં નવા પાણીની આવક થઈ છે. છેલ્લા 24 કલાકની અંદર રાજ્યના 135 તાલુકાના મેઘરાજા મહેરબાન થયા છે. રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ અને ડાંગમાં ભારે વરસાદ જોવા મળ્યો છે.
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા પણ આગામી 25 જુલાઈ સુધી રાજ્યમાં સારો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, હાલ પુષ્પ નક્ષત્ર ચાલી રહ્યું છે અને આ પુષ્પ નક્ષત્ર દરમિયાન થનાર વરસાદથી કૃષિ પાકને સારો ફાયદો થશે. જુલાઈ મહિનાના અંતિમ અઠવાડિયા દરમિયાન રાજ્યમાં એકધારો વરસાદ થાય તેવી શક્યતા છે.
બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઇ છે અને આગામી 24 કલાકની અંદર આ લો પ્રેશર સિસ્ટમ વધુ મજબૂત થશે. બંગાળની ખાડી માં લો પ્રેશર ઊભું થતાં અનેક વિસ્તારોની અંદર વાદળોનો ટ્રફ ઘેરો બનશે. જેના કારણે ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, પંજાબ અને હરિયાણામાં આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઇ છે. આવતીકાલે 23 જુલાઇથી ત્રણ દિવસ સુધી એટલે કે 23 જુલાઇથી લઇને 25-26 જુલાઈ સુધી ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ બનશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ત્રણ દિવસ સુધી ભારે વરસાદ થવાની શક્યતાઓ છે.
જોકે બીજી તરફ પ્રાઇવેટ વેધર કંપનીનું માનવું છે કે, આગામી ત્રણ દિવસ સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોને બાદ કરતાં ગુજરાતના અન્ય વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે. અમદાવાદ, વડોદરા અને ગાંધીનગરમાં ત્રણ દિવસ દરમિયાન ભારે વરસાદનો એક રાઉન્ડ જોવા મળી શકે છે. જો સિસ્ટમ વધુ મજબૂત બની તો રાજ્યના બાકીના વિસ્તારોમાં ભારે વરસાદ થાય તેવી શક્યતાઓ છે.
વધુમાં હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, બંગાળની ખાડી માં એક પછી એક બે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઇ શકે છે. હાલ આવતીકાલે 23 જુલાઈના રોજ એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે. જે બાદ 27 જુલાઇના રોજ બીજી લો પ્રેશર સિસ્ટમ સક્રિય થાય તેવી સંભાવનાઓ છે. હવામાન શાસ્ત્રીઓ નું માનવું છે કે 27 જુલાઇના રોજ બનનારી લો પ્રેશર સિસ્ટમ વધુ મજબૂત થશે.
જાણીતા હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે પણ આગાહી કરી હતી કે, જુલાઈ મહિનાના અંતિમ દિવસોની અંદર રાજ્યમાં સારો વરસાદ થશે. જોકે આ વર્ષે વરસાદમાં ઘણી અનિયમિતતા જોવા મળી રહી છે. જેના કારણે મોટાભાગની આગાહીઓ ખોટી પૂરવાર થઈ રહી છે. ચોમાસાની શરૂઆતમાં અરબ સાગરમાં આવેલા તાઉતે વાવાઝોડા અને બંગાળની ખાડીમાં આવેલા યાસ વાવાઝોડાને કારણે વરસાદમાં અનિયમિતતા બની છે.
રાજ્યમાં ખાસ કરીને સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર રહે છે. દક્ષિણ ગુજરાતના શહેરી વિસ્તારોની અંદર ભારે વરસાદને કારણે પુર જેવી સ્થિતિ સર્જાવાની શક્યતાઓ રહે છે. ત્યારે હવામાન વિભાગની આગાહી બાદ એનડીઆરએફની ટીમ પણ તૈનાત થઈ ચૂકી છે. એનડીઆરએફની ટીમ દ્વારા સુરતમાં લોક જાગૃતિ કાર્યક્રમ અને તાલીમમાં કાર્યક્રમો ગોઠવવામાં આવ્યા હતા. જેમાં લોકોને ભારે વરસાદ અને પૂરથી કઇ રીતે બચવું તે અંગે જાગૃત કરવામાં આવ્યા હતા.
નક્ષત્રની વાત કરીએ તો હાલ પુષ્પ નક્ષત્ર ચાલી રહ્યું છે. 1 ઓગસ્ટ સુધી પુષ્પનક્ષત્ર લાગુ રહેશે. પુષ્પ નક્ષત્રનું વાહન ઉંદર છે. હવામાન શાસ્ત્રીઓના જણાવ્યા અનુસાર પુષ્પ નક્ષત્ર દરમિયાન ગાજવીજ સાથે વરસાદ થાય છે. પુષ્પ નક્ષત્રના વરસાદનું પાણી કૃષિ પાક માટે સારું હોય છે.
આગામી ત્રણ દિવસ સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહીના પગલે માછીમારોને પણ સાવચેત કરી દેવામાં આવ્યા છે. આગામી ત્રણ દિવસ સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં દરિયાકાંઠાના માછીમારોને દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી છે. લો પ્રેશરને કારણે દરિયામાં પણ ભારે કરંટ રહે તેવી શક્યતાઓ છે. જેના કારણે માછીમારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.